ધનવાનોએ તંદુરસ્ત રહેવાનો એક જ રસ્તો છે - ગરીબની રીતે રહેવું. - અજ્ઞાત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 423 of 518

 
અખાના છપ્પા (ભાગ-87)
 

 

(ભાગ-87)
 
 
(259)
કથા સુણી શ્રોતા શું ખટયો, જો ગુણ ગાઇ ગાનારો ન વટયો ?
થયા-ગયા તે પોથે લખ્યા, પણ વણથયાની લહો પારખ્યા.
વણથયો વ્યકત સર્વ કરે, તેહેને લહ્યે અખા અર્થ સરે.
 
             જો કથાકાર દેવોના ગુણ ગાઇને સંસારને વટાવી આગળ ન ગય હોય તો (પાઠ ન વટયો) અથવા, કથાકાર પોતે કથાથી અલિપ્ત રહ્યો તો કથા સાંભળીને શ્રોતા શું ખાટે- શો લાભ મેળવે ? વણથયાની - અજન્માની (બ્રહ્મની )પરીક્ષા કરી જુઓ. એ અજન્મા પોતે અવ્યકત હોવા છતાં બધું વ્યકત-મૂર્ત કરે છે. તેનો અનુભવ કરવાથી જ મનુષ્યઅવતાર સફળ થાય છે.
 
(260)
બાણવેઝાને સહુ કો મુહે, પણ બાણાવળીને કોએક જુએ.
શ્રોતા-વકતા વેઝું-બાણ, ટળી બેહુ ને રહે નિરવાણ.
નામરૂપ વંચક ને સભા, અખા સહુ વહે કાળની પ્રભા.
 
           બાણવિધા ઉપર સહુ કોઇ મોહ પામે છે પણ બાણાવળીનો તો કોઇક જવિચાર કરે છે. પણ જેમ બાણ (ધનુષ્ય) અને તીર ટળી જાય તો બાણાવળી જ બાકી રહે, તેવી રીતે કથાના શ્રોતા- વકતા ટળી જાય, એમની જીવબુદ્ધિ દૂર થાય તો જેની કથા વાંચવામાં આવે છે તે હરિ (નિર્વાણ ) જ બાકી રહે છે. કથા વાંચનાર અને શ્રોતા-સભા કાળના પ્રવાહમાં નાશ પામે છે. (એક હરિ-બ્રહ્મ જ અવ્યય અને અવિનાશી છે.)
 
(261)
સાચો જૂઠાના ગુણ ગાય, પણ જૂઠે સચો નવ લહેવાય;
દરપણ તો મુખને ગ્રહે,પણ પ્રતિબિંબ કેમ બિંબને લહે ?
આદર્શ-સ્થાને જે નામ-રૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ ?
 
        સાચો જૂઠાની લીલા પારખી તેનું વર્ણન કરી શકે. પણ જૂઠાથી (સંસારથી ) સાચાને (બ્રહ્મને ) સમજી શકાતો નથી. સંસાર તો દર્પણમાં પડેલા મુખના પ્રતિબિંબની જેમ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ (આભાસ) છે. દર્પણમાં પડેલું મુખનું પ્રતિબિંબ મુખને પામી શકતું નથી તેવી રીતે મિથ્યા નામરૂપવાળું જગત જે દર્પણમાં પડેલા પ્રતિબિંબ જેવું છે તે સત્ય એવા પરાત્પરને-બ્રહ્મને કેવી રીતે ઓળખી શકવાનું હતું ?

Page 423 of 518

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 માલસર
 હઠિસિંહના દેરા
 મહાકાળી માતાજી
 કાળુપુરનું સ્વામિનારાણ મંદિર
 મણિનગરનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Tavarikh - તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 ઓગષ્ટ તવારીખ
Stories - વાતૉઓ
 સાવકી મા
 શિયાળ નો ન્યાય
 સૂરજનો છડીદાર
 સૌથી રૂપાળું બાળક
 ઉંદર સાત પૂંછડિયો
Poems - કવિતા
 કારણ નથી હોતું.....
 'રત્ન કણિકાઓ'.....
 આટલા વર્ષો નું ડહાપણ જોઈ લો .....-- હેમેન શાહ
 સંબંધોને વણસતા વાર નથી લાગતી.....
 નહીં કોઈ ખેંચતાણ.....
Gazals - ગઝલો
 હેમન્ત દેસાઇ
 દિલની દીક્ષા છે.....
 એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું.....
 લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે.....
 જયેન્દ્રસિંહ જાડેજા ‘ફાની’
Daily Recipies - રોજની વાનગીઓ
 તીખા સક્કરપારા
 મગસ (6 વ્યકિત)
 ખમણ ઢોકળા
 સુખડી ( 3 થી 4 વ્યકિત )
 ફાડા લાપસી (૬ વ્યકિત)