જુગાર કે સટ્ટામાં ધન ખોટી રીતે ખોવું એ ગુનો છે, ધન ખોટી રીતે ભેગુ કરવું એ એથીય મોટો ગુનો છે અને ધન ખોટી રીતે વેડફવું એ સૌથી મોટો ગુનો છે. - રસ્કિન
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 408 of 518

 
અખાના છપ્પા (ભાગ-102)
 

 

(ભાગ-102)
 
(304)
નિવૃત્ય-પ્રવૃત્ય શમણાનું ધન, ઊંધ્યો નર તેહેનું કરે જતન;
જાગ્યે રૂડું -કુંડું ટળે,જ્ઞાન તે જે પાછો વળે
અખા પરંપંચ નહિ પરમાણ,ઠાલો શું થઈ બેસે જાણ?
                       
         બ્રહ્મને ઓળખવા માટે નિવૃતિ અને પ્રવૃત્તી સ્વપનામાં ધન જેવી મિથ્યા છે. ઊંઘતો માણસ તેનું જતન કરે છે એટલે કે તેને સાચી માને છે અને સેવે છે. પણ જે જાગ્યો છે તે એ બેઉથી પાછો વળી જાય છે, તેને ઉપયોગી માનતો નથી, તો નકામો એનો જાણકાર તું કેમ બની બેઠો છે?
 
(305)
તપ-તીરથ દેહ દમવા કાજ ,જાણ્યું ઉન્મત્ત તનમન આવે વાજ .
ફળ સંભળાવી કીધું ખરું, પણ હરિ મળવાનું કારણ પહરું.
અખા એ સર્વ મનની તોર ,કોડી વટાવ્યે ના વે મહોર.
 
        તપ અને તીરથ દેહ દમવા માટે છે અને તેનાથી ઉન્મત્ત તનમન ઠેકાણે આવે છે એમ જાણ્યુ હતું પરંતુ શાસ્ત્રો અને પુરાણીઓએ એના ફળ વર્ણવીને તે સૌને હરિને મેળવવા માટે યોગ્ય એટલે ખરાં સાધન ગણાવ્ચાં છે. પણ તેથી હરિને મેળવવાનું તો આધું જ રહે છે. આ બધાં તો મનનાં તરંગ છે. કોડી જેવું હલકું ચલણ વટાવતાં બદલામાં સોનાની મહોર મળતી નથી , તે રીતે તપ તીરથ જેવા સાધનથી પ્રભુપ્રાપ્તિ થતી નથી.
(306)
હરિ જાણીજે તે હરિ વડે, ત્યાંહા બીજાનું કામજ ન પડે;
બીજા કર્મ મનથાં નીપજે, મન સુધી તેહેનો જય-વિજે
અખા તે માટે ત્યાંહાં રહી ચેત, જ્યાંહાં રહીને નિગમ કહે નેત.
 
         હરિ ને હરિ વડે જ જાણી શકાય છે. આ માટે બીજાં સાધન કામ આવે નહિ. હરિને મેળવવા માટે માણસ જે ધર્મ કર્મ કરે છે તેને પ્રેરનારું મન જ છે. જ્યાં સુધી મન છે મનમાં આશાતૃષ્ણા છે. ત્યાં સુધી જ આ સાધનોનો જયવિજય,સફળતા લાગે છે. માટે વેદોમાં જેને “નેતિ નેતિ’’ કહી વર્ણવ્યું છે એ બ્રહ્મમાં સ્થિર થઈને તું તેમાં ફના થઈ જા- ચૈતન્યબ્રહ્માં જ બની જા.

Page 408 of 518

 
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 મે તવારીખ
 માર્ચ તવારીખ
Gazals - ગઝલો
 રાજ લખતરવી
 હવે ખાનગી નથી.....
 હિસાબ દેવો છે.....
 દિનેશ કાનાણી પાગલ
 પ્રણય જામનગરી
Daily Recipies - રોજની વાનગીઓ
 ફ્રૂટસલાડ (4 વ્યકિત)
 સાદો મઠો (3 થી 4 વ્યકિત)
 તીખી સેવ
 મગની દાળનો શીરો (4 થી 6 વ્યકિત)
 મઝેદાર પીઝા
Stories - વાતૉઓ
 કાગડા કેટલા ?
 ઈંદ્ર કરતાં બાદશાહ મોટો
 દલો તરવાડી
 બુદ્ધિશાળી કોણ ?
 ગુલામનું ચપટી જુઠ
Poems - કવિતા
 સાત જનમનો થાક ને આઠ જનમની નીંદ.....
  કે ધારો જીવનનો.....
 રાધા એ શ્યામ સામે જોયું ને આંસુ એક રોયુ.....
 દિવસો એકલવાયા.....
 હરિ!તારે હિંચકે હું ઝૂલતી રહું.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ડાકોર
 શ્રી માધવરાયનું મંદિર
 શિરડીના સાંઈબાબાની સર્વજ્ઞતા અને લીલા
 શ્રી કેરાનું શિવમંદિર
 શૂલપાણેશ્વર
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-33)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-32)