તમારી પાસે તમારી જરૂર કરતાં વધારે ધન હોય તો એ તમારું નથી. તમારા જીવનકાળ દરમિયાન જનહિતાર્થે વાપરવા માટે તમને સોંપાયેલી એ થાપણ (ટ્રસ્ટ) છે. - એન્ડ્રયુ કાર્નેગી
Friday, May 24, 2013
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
મોતની સજા આપવાની વિવિધ તરકીબો ~~~ મોટા સ્તન વાળી મહિલાઓને ફરીથી સ્તન કેન્સર થવાનો ખતરો ~~~ ગુજરાતમાં કુપોષણનું કારણ ફેશન અને શાકાહારી લોકો - મોદી ~~~ કસાબને ખુલેઆમ ફાંસી આપવામાં આવે - ઉદ્ધ્વ ઠાકરે ~~~ સસરાનો પુત્રવધુ પર બળાત્કાર ~~~ ભૂત-પ્રેત વિષે જાણવા જેવી વાતો ~~~ હેલિકોપ્ટર દુર્ઘટનામાં આસારામ બાપૂનો ચમત્કારિક બચાવ ~~~ મોદીએ માફી માગવાનો ધરાર ઈનકાર કરી દીધો ~~~ માફી ત્યારે માંગુ જ્યારે મને કોઈ આરોપમાં દોષી ઠેરવવામાં આવે - મોદી ~~~ કોમી રમખાણોમાં મોદીની ભૂમિકાની ફરીથી તપાસ કરવી જોઈએ - દિગ્વિજય ~~~ સેલિનાને મળ્યો નવો મિત્ર ~~~ તીસ માર ખાઁ : સૌથી મોટો ચોર ~~~ મિર્ચનો પ્રોમો ~~~ રસાકસીભરી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યુ ~~~ ગાવસ્કરને મળ્યુ 'હોલ ઓફ ફેમ'નું સન્માન ~~~ યુવરાજ કેંસ્રરની જંગ જીતી જશે.. ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 8 of 518

 
અખાના છપ્પા (ભાગ-114)
 

(ભાગ-114)

                                                                                

(340)

સગુણ-નિર્ગુંણ કથવો રહ્યો, રૂંધ્યો-બાંધ્યો સ્વામી લહ્યો;

સદા હરિ બોલતો ચાલતો, ખાતો પીતો ને મહાલતો.

અખો કહે વેદાંતનું સાર : કૈવલ્ય બ્રહ્મ પ્રભા-આકાર.

 

                                    સંસારમાં કે દેહમાં બંધાયેલા કે રૂધાયેલા સ્વામીને -પરમાત્માંને અખાએ ઓળખી લીધો છે, અને સદા બોલતો -ચાલતો -ખાતો-પીતો મહાલતો એવો હરિ અનુભવ્યો છે. અખો કહે છે કે વેદાંતનો સાર એજ છે કે કૈવલ્ય બ્રહ્મ સતત વહેતો, અનાદિ અને અનંત પ્રવાહ છે.

 

(341)

યોગ ધ્યાન તપ તીરથ ત્યાગ, ભક્તિ કર્મ ને વ્રત-વૈરાગ્ય,

વિષયવૃત્ત્ય નાનાવિધ ભોગ, સર્વ ચાલ્યો જાય ચૈતન્યયોગ

અખા સર્વ સ્વામીના રંગ, સદા સર્વદા આપ અભંગ

 

                              યોગ, ધ્યાન, તપ, તીર્થ, ત્યાગ, ભક્તિ, ધર્મ, કર્મ, વ્રત અને વૈરાગ્યની સાથેસાથે જ વિષયવૃત્તિ અને વિવિધ પ્રકારના સુખોપભોગ આ બધું બ્રહ્મ ચૈતન્યના યોગબળે પ્રવાહરૂપે વહ્યું જાય છે, આ બધી પરમાત્માની લીલા છે તે પોતે તો એક અને અખંડ 

છે.

 

(342)

અખો જોતાં તાંહાં વસ્તું વડે બીજું આપોપું નવ જડે.

એમ જોતાં કોણ કેહેને ભજે ? તાંહાં પામણહાર ન લાધે રજે,

અદબદ સ્વામી અટળ અનાધ, એમ સમઝ્યા વિના સઘળો વાદ.

 

                                  આ રીતે વિચારતાં બધું બ્રહ્મમય જ છે. બીજું કોઈ અલગ અસ્તિત્વ શોધ્યું જડે તેમ નથી. આમ જોતાં કોણ કોને ભજે ? પામનારો લેશમાત્ર જડે તેમ નથી. (કેમ કે તેનું પણ અલગ અસ્તિત્વ નથી). એ અદભૂત પરમાત્માં અનાદિ, નિરાકાર, અને અવિનાશી છે એટલું જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી જ બધા વાદવિવાદ અને મતતાંતરો રહે છે

 

Page 8 of 518

 
Poems - કવિતા
 જે થયું તે સારું થયું.....
 ટકવાના ખ્યાલમાં હું તૂટતો ગયો.....
 જે થવું હોય તે થાય !.....
  અહંકાર બહુ આડો આવે.....
  છલક છલક છલકાય અને એ ઝલક ઝલક ઝળહળિયો......
Daily Recipies - રોજની વાનગીઓ
 ગળી બુંદી (4 વ્યકિત)
 મગની દાળનો શીરો (4 થી 6 વ્યકિત)
 ઘઉંની સેવ ( ૩ વ્યકિત )
 લાડવો
 દૂધપાક (2 વ્યકિત)
Stories - વાતૉઓ
 ગીધનો વાંક
 તમાચાખાઉ આંધળો ભિખારી
 શાહુડી અને સાપ
 કરોળિયાની દુકાન
 લુચ્ચો કરોળીયો
Tavarikh - તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-54)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Gazals - ગઝલો
 શૈલ પાલનપુરી
 નસીમ
 એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ.....
 આદિલ મન્સુરી
 મરીઝ
Historic Places - ઐતિહાસિક સ્થળો
 તારંગા
 માતાનો મઢ
 વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ
 આમથેર માતા મંદિર
 માલસર