(ભાગ-51) (151) પંડિત ડાહ્યા વિચારો સાત, પણ સાત વાતની એક જ વાતઃ જે ધટ હરિ વસનારા થાય ત્યાંહાં સાધન કમૅ ન જુએ કાંય. અખા સાધન બીજાં જે બહું, કાળકમૅકર સોંપ્યાં સહુ. ડાહ્યા પંડિતો પરમાત્મા વિશે ભલે ગમે તેટલા વિચારો કરે પણ સાત વાતની એક વાતની એક વાત એ છે કે હરિ જેના હદયમાં વસવાની ઇચ્છા કરે છે તેના છે તેના છે તેના છે તેનાં સાધન કે ક્રિયાને એ લેશ પણ મહત્ત્વ આપતા નથી. હરિની કૃપા મેળવવા માટે આત્મજ્ઞાન સિવાયનાં જે સાધન છે તે બધાં કાળ અને કમૅને અધીન (સ્થૂલ અને નાશવંત ) છે. (152) ભણ્યેગણ્યે હરિ ના’વે હાથ, દાન તપસ્યા કાળને સાથ; વ્યાકરણ વેદ સમાધિ અસંગ, જોતાં સવૅ માયાનાં અંગ. અખા અણલિંગી-પદ અનુપ, જયાંહાં ધ્યે’- ધ્યાતાનું ન રહે રૂપ. વિદ્રત્તાથી હરિની પ્રાપ્તિ થતી નથી. દાન અને તપશ્ર્ચર્યા કાળને અધીન (એવાં લક્ષ્મી અને શરીરબળને અધીન ) છે. વેદાભ્યાસ, વ્યાકરણજ્ઞાન,યોગસમાધિ અને એકાંતવાસ એ બધાં માયાનાં જ અંગ છે. અનુપમ બ્રહ્મપદમાં ધ્યેય અને ધ્યાતાનો ભેદ રહેતો જ નથી. (153) પૂવૅજન્મ-કમૅ અનુસાર ઉત્તમ મધ્યમ ભોગ સંસાર ; જેણે હું મમતા સત્ય માન્યો દેહ, ત્રિવધિ કમૅ કળપે છે તેહ ; પ્રાપ્યે અખા જયાંહાં દ્રૈત-અભાવ,ત્યાંહાં પૂવૅજન્મનો શો ઠેહરાવ ? એમ માનવામાં આવે છે કે પૂવૅજન્મનાં કમૅ અનુસાર સંસારમાં ઉત્તમ કે મધ્યમ ભોગ ભોગવવાના થાય છે. પરંતુ અહંતા અને મમતાવાળો દેહ સાચો માન્યો છે તેઓ સંચિંત, પ્રારબ્ધ અને ક્રિયામણ એ ત્રણ પ્રકારનાં કમૅનાં ફળરૂપે દુઃખ ભોગવે છે (કળપે પાઠ) અથવા એ ત્રણ પ્રકારનાં કમૅ કલ્પે છે (કલ્પે પાઠ) પણ/વળી મૂળમાં જયાં દ્રૈતનો જ અભાવ છે (આત્મા પરમાત્માથી જુદો નથી) ત્યાં પૂવૅજન્મનો સિદ્રાંત કેવી રીતે ટકી શકે ? |