રહસ્ય ધર્મનું છે આ, સાંભળો ને સમાચરોઃ પોતાને જે પ્રતિકૂળ બીજા પ્રત્યે ન આચરો ! - મહાભારત
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 History - ઇતિહાસ >> Historic Places - ઐતિહાસિક સ્થળો
   

Page 36 of 59

 
ઉદવાડ
 

(ભારત ભરનું પારસી ઓનું મોટામાં મોટું તીર્થસ્થાન)

        આપણે જોયું કે આશરે એક હજાર વર્ષ કરતા પણ પહેલા ઈરાનથી પોતાનો ધર્મ બચાવવા માટે ત્યાંથી નાસી છુટેલા પારસીઓને ગુજરાતમાં સંજાણના રાણાએ પોતાના રાજ્યમાં વસવાટ કરવા માટે પરવાનગી આપી.

        આ ઘટના ઉપરથી પોતાનો દેશ, પોતાના ઘરબાર અને માલમિલ્કત મૂકીને આવેલા પારસી ઓને પોતાનો ધર્મ કેટલો વહાલો હશે તેનો આપણને બરાબર ખ્યાલ આવી જાય છે.
 
        રાણાની પરવાનગી મળતા દસ્તૂરે રાણાનો ઘણો મોટો આભાર માન્યો. સંજાણ પાસે આવેલા ઉદવાડ ગામમાં તેમણે એક કાચી પાકી અગિયારી બાંધી,અગિયારી એટલે પારસીઓનું ધર્મસ્થાન જેમ હિન્દુઓનું મંદિર હોય છે મુસ્લિમોનું મસ્જિદ હોય છે તેમ તેમનું અગિયારી હોય છે. તે નાની અને કાચી અગિયારી આજે તો મોટી ભવ્ય ઈમારત બની ગઈ છે.
 
        ઈરાનથી તેઓ જ્યારે સંજાણ ઉતર્યા ત્યારે તેઓ પોતાની સાથે પવિત્ર અગ્નિ લાવ્યા હતાં. જે આતશે બહેરામ તરીકે ઓળખાય છે.માટે પારસીઓ અગ્નિપૂજક છે એવું માનવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો હજ્જારો વર્ષ પહેલા ભારતમાં આવેલા પારસીઓ પહેલાના આર્યો પણ આ જ રીતે કુદરતના આ અદભૂત ભવ્ય તત્વોની જ પૂજા કરતા હતાં. અગ્નિ, વાયું, જળ,અને આકાશ,પારસીઓના ધર્મ અને વૈદિક ધર્મમાં ઘણું સામ્ય છે.
 
        ઉદવાડ આમ એકાદ હજાર વર્ષથી દેશનું સૌથી મોટુ પારસી તીર્થ છે. દેશ ભરમાંથી અહીં પારસીઓ યાત્રાએ આવે છે. ઉદવાડ ની આ અગિયારીમાં આતશે બહેરામ ની અખંડ જ્યોતિ સદાયે (આજેય) જલતી રહે છે. જાણે કે ધર્મપ્રેમી પારસીઓની હૃદયમાં શ્રદ્ધાદીપ !
 
        સંજાણના રાણાએ,પારસીઓના વડા દસ્તૂરને વચન આપ્યું હતું કે તમારી પ્રજામાં અમે દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જઈશું, તે વચન તો તેમણે એકદમ ઈમાનદારી તેમજ ખૂબ સારી રીતે તથા સચ્ચાઈ પૂર્વક સાચું કરી બતાવ્યું.
 
        માટે તો પારસીઓ અત્યારે ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર ભારતની પ્રજામાં ઓતપ્રોત થઈ ગયાં. એવું ભારતમાં કદાચ એકેય ક્ષેત્ર નહિ હોય કે જેમાં પારસીઓનું પ્રદાન ન હોય.
 
        સાહિત્યમાં કવિ ખબરદાસ,ઉદ્યોદમાં જમશેદજી તાતા,વિજ્ઞાનમાં ડો. હોમી ભાભા, રાજકારણમાં દાદાભાઈ નવરોજી,ચિત્રકળામાં શ્યાવક્ષ ચાવડા,વકીલાતમાં નાની પાલખીવાળા વગેરે વગેરે અનેક લાંબા નામોની યાદી થાય તેટલા નામો છે,જેમણે ભારતમાં પોતાનું યોગદાન આપ્યું છે અને હાલમાં પણ આપી રહ્યા છે.
         
       
 
 
       

Page 36 of 59

 
Poems - કવિતા
 મારુ સ્વમાન હું જ સાચવુ.....
 પૃથ્વી મારું પાથરણું .....
 છાપાં નથી વાંચવાં મારે.....
 માં.....
 હઠીલા મનની કેટલી જીદ.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ત્રિનેત્રેશ્વર મહાદેવ
 ગોપનાથ મહાદેવ
 શ્રી કર્ણ મુક્તેશ્વર મહાદેવ
 ગઢડાનું મંદિર
 માલસર
Stories - વાતૉઓ
 સિંહણ અને શિયાળનું બચ્ચું
 સસલાએ ઈંડા ચીતર્યા
 બીરબલની સ્વર્ગયાત્રા
 ફૂલણજી દેડકો
 " પછી ?" , ફર્ર્ર્ર્ ...
Gazals - ગઝલો
 ઉજવાતો રહે છે અંધકાર.....
 ઝાહિદ શિનોરવાળા
 અરે વાદળ, સદા તું ભૃત્ય શાને.....
 સાગર નવસારવી
  સતીશ નકાબ
Daily Recipies - રોજની વાનગીઓ
 નાનખટાઇ
 રવાના ઘૂઘરા
 શીરો (૪ વ્યકિત)
 બાલુશાહી
 મગસ (6 વ્યકિત)
Tavarikh - તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જુન તવારીખ
 નવેમ્બર તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-60)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-93)
 અખાના છપ્પા (ભાગ-55)